જય પ્રભુ

આપ સર્વને માનવનિર્મિત સત્યો રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે...

Friday, February 12, 2010

મનવાભાઇ

(રાગઃ જેસલ કરીલે વિચાર માથે જમ કેરો માર.......)

મનવા કરીલે વિચાર, સત્ય ધર્મ સંભાળ

શિર પર જુકી રહ્યો કાળ, જવુ પડશે નિર્ધાર

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

આપણે સાચા સંતો સંગ ભવ તરીએ રે

મોંઘો મનુષ્ય અવતાર, નહિ મળે વારંવાર,

અવશર અફળના જાય, મનખો સફળ થઇ જાય,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

સંસાર સ્વપ્ન સમાન, વિતી જાતાં નહિ વાર,

છોડી જગની જંજાળ, હેતે હરીને સંભાળ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

ખલક જગના સૌ ખેલ, મનવા મારું તારું મેલ,

તોડો આશા અમરવેલ, ટળે ચારે ખણી જેલ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

અઘળી વાતો થાય સહેલ, ટળે મનડાના મૅલ,

કરીએ ભક્તિમાં પહેલ, ચક્કર ચૉરાશીનાં ફેલ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

પાંચે તત્વે પ્રકાશ, પિંડે બ્રહ્માંડે વાસ,

ખોજ કરી લ્યોને ખાસ, પ્રગટે પોતાની પાસ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

ગુરૂ છગનરામ શિર ધાર, વૃત્તિ વચનમાં વાળ,

સેવા સંતોની સ્વિકાર, પરાંણ પ્રભુજી નિહાળ

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે



==============================================

Authored by:

Shri Palabhai Chunthabhai Patel
Jindva, Ta. Dehgam, Dist. Gandhinagar

No comments: