જય પ્રભુ

આપ સર્વને માનવનિર્મિત સત્યો રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે...

Friday, February 12, 2010

વિરાજી

(રાગઃ આવું મનખા સરખુ ટાણુ રે વિરાજી તમને નહિ મળે રે જી)

વાતે વડાં કીધાં રે ભૂખ કેમ ભાગશે રે જી

જમ્યા વિના તો તૃપ્તિ કદીએ નહિ થાય

એવી ચિતરામણની ચકલી રે વિરાજી તૃષા કેમ છીપશે રે જી

સતસંગતમાં બેઠા રે સંસયના શુર શાલતા રે જી

ઇર્ષા અગ્નિ હોળીનો ભડકો ભડભડ થાય

એવી કગમતીએ કરણી રે વિરાજી વાલમ વેગળા રે જી

હરી ભજનમાં બેઠા રે જગ વાતે મનડાં મ્હાલતાં રે જી

ધનની લાલચ લબકારે મનડાં જોલા ખાય

એવા આશાના ઉમળકારે વિરાજી મહેનત માથે પડે રે જી

ગુરૂની કંઠી પહેરી રે તનમન શબ્દે સાંપીયાં રે જી

સત્ય સમજ વિના શાંતિ કદીએ નહિ થાય

અંતરપટ નવ ખોલ્યો રે વિરાજી ઉદ્યમ અવરગતિ રે જી

આપમતિએ ઉજળા રે કર્મોના ભરીયા કોથળા રે જી

અહમના હિલોળે ઊંધુ ચત્તું થઇ જાય

ડગમગ નૌકા ડોલે રે વિરાજી ભવમાં ડુબશો રે જી

એવા પરઉપકારી સંતો રે દુખિયાના દુખડા કાપશે રે જી

એવા સંતો જગમાં ભવતારણ ભગવાન

એવા સાચા સુખને ચાહો રે વિરાજી સેવીએ રે જી

એવા ગુરુ છગનરામ મળીયા રે પરાંણભાઇ શરણું સેવીએ રે જી

એવા પૂરણ પૂરૂષનૂ શરણું રે કેમ વાકો થાય વાળ

એવા ગુરૂના હુકમે હાલો રે વિરાજી ભટકણ ભાગશે રે જી



===================================================

Authored by:

Shri Palabhai Chunthabhai Patel
Jindva, Ta. Dehgam, Dist. Gandhinagar

No comments: