જય પ્રભુ

આપ સર્વને માનવનિર્મિત સત્યો રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે...

Thursday, February 4, 2010

"શબ્દ સ્મૃતિ"

(રાગઃ મન વણજારા બહાર ભટકતી ચિતવૃત્તિને વારજો)

હો મનજીભાઇ, આવેલો અવશરીયો આનંદે ઉજવો

શું ગુંચાયા, સતસંગી સંતોના ચરણો પૂજવા

તમે પૂર્વે પૂન્ય કમાયા છો

તેથી માનવ પદવી પામ્યા છો

શું જૂઠા જગે શરમાયા છો...હો મનજીભાઇ આવેલો....(ટેક)

આ દેહતો મોક્ષ દરવાજો છે

ભૂલ્યાતો ભવજળ ખારો છે

ચેતો ચિતમાં રોડ રુપાળો છે...હો મનજીભાઇ આવેલો....

આ તન ત્રિવેણી આરો છે

ગંગા જમના જળ નિર્મળ છે

સ્નાન કરીએ પાવન સ્થિર મનસે...હો મનજીભાઇ આવેલો....

પાંચ તત્વોતે રુપ તારાં નહી

ત્રિગુણનો તાબેદારો નહી

પાંચ વિષય રસને ઢોળી દઇ...હો મનજીભાઇ આવેલો....

સુખ દુઃખ તે ધર્મો તારા નહી

તું માન બંધવનો મોટો ભાઇ

લાભ હાની ટોટલ સમતા સહી...હો મનજીભાઇ આવેલો....

ગુરુ છગનરામના ચરણે જઇ

તન મન ધન શરણે સોંપી દઇ

દાસ પરાંણ અવશરે ઉણપ નહી...હો મનજીભાઇ આવેલો....



---------------------------------------------------

શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

No comments: