જય પ્રભુ

આપ સર્વને માનવનિર્મિત સત્યો રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે...

Saturday, January 23, 2010

શબ્દ-સ્મૄતિ

(રાગઃ સંત સ્વભાવે શબ્દે શબ્દે ચાલો જો, અંતર લક્ષે મા'લો જો)

ભવસાગરમાં ભટકી ભટકી આવ્યા જો, દુઃખના દિન વિતાવ્યા જો,

આ અવશરીયો હરી ભજવાનો આવીયો મન માણી લે

અહંકારને અભિમાનમાં ડુલ્યાજો, હરી ભજવાનું ભુલ્યા જો,

નિર્મળતા દાસાતણ દિલમાં ધારીને મન માણી લે

કામ ક્રોધ તે કલેશ કેરુ મૂળ જો, એવું ઉપડે શૂળ જો,

સહનશિલતા શાંતિ દિલમાં ધારીને મન માણી લે

ચોરી જારી ચિત્તમાં ચિંતા ચાલે જો, અંતર વેદના શાલેજો,

પરધન પત્થર પરસ્ત્રી માતા માનીને મન માણી લે

મોહ મદિરા દુર્ગુણથી દુર રહીયે જો, સદગુરુ શોધી લઇએ જો,

સદગુણથી સદમતી મળે સુખ થાય છે મન માણી લે

જુઠ કપટએ જુગાર બાજી જાણો જો, એથી મનને વારો જો,

સત્ય વચન સદગુરુના દિલમાં ધારીને મન માણી લે

મારુ તારુ એતો જગની માયા જો, એથી બની આ કાયા જો,

કાયાનો ઘડનારો સદગુરુ મેળવે મન માણી લે

સુખ દુઃખ રચના સંચિતનાં ફળ ધારો જો, ભમતા મનને વારો જો,

સાચાં સંચિત તારાં તુજને મળી જશે મન માણી લે

પૂન્ય પૂર્વનું ગુરુ છગનરામ મળીયા જો, ભવના ફેરા ટળીયા જો,

પરાંણ ગુરુજીને સર્વ સમર્પણ કરીને મન માણી લે


- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

No comments: